॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૧૬: વિવેકનું

મહિમા

યોગીજી મહારાજ વચનામૃત પ્રથમ ૧૫, ૧૬, ૧૭ બપોરની કથામાં ઘણી વાર કઢાવતા અને કહેતા, “પ્રથમ ૧૭ – મોળી વાત ન કરવી. પ્રથમ ૧૬ – વિવેક રાખવો. આ ત્રણ વચનામૃતો સમજે તેને મોક્ષમાં અધૂરું ન રહે. આપણે અંગનાં કરી રાખવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]

Yogiji Mahārāj often had the Vachanāmruts Gadhadā I-15, Gadhadā I-16, and Gadhadā I-17 read during the afternoon discourse and would say, “Gadhadā I-17 – not uttering discouraging words. Gadhadā I-16 – maintaining discretion (vivek). One who understands these three Vachanāmruts has nothing left to accomplish for his moksha. We should apply these Vachanāmruts to ourselves and aim to imbibe them.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/536]

મહિમા

યોગીજી મહારાજ કહે, “શાસ્ત્રીજી મહારાજ પ્રથમ ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૫૮ વગેરે વચનામૃતો બપોરે બહુ વંચાવતા. ૩ કલાક નિરૂપણ કરતા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

Yogiji Mahārāj said, “Shāstriji Mahārāj often had these Vachanāmruts read in the afternoon: Gadhadā I-15, Gadhadā I-16, Gadhadā I-17, Gadhadā I-21, Gadhadā I-58. Sometimes, he would discourse on them for three hours.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/252]

મહિમા

યોગીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૧૬મું મોઢે બોલવાની શરૂઆત કરીને વાત કરી, “આ એક વચનામૃત સિદ્ધ કરશે તેને સત્સંગમાં કોઈ દિ’ દેશકાળ લાગશે નહીં. થોડું જ્ઞાન કરવું પણ સારધાર નભે એવું કરવું. આ વચનામૃત જ સમજવાનું છે. બીજું ઝાઝું સમજવાનું નથી. દરેકે પોતા પર આ વચનામૃત લગાડવું. બીજા પર ઢોળી ન દેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૬૯]

Yogiji Mahārāj recited Vachanāmrut Gadhadā I-16 by heart and said, “One who perfects this one Vachanāmrut will not be affected by unfavorable factors of place, time, etc. Even if only a little knowledge is gained, ensure that it remains throughout one’s life. This Vachanāmrut is what needs to be understood; not much else. Everyone should apply this Vachanāmrut to themselves – not preach to others.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/69]

નિરૂપણ

તા. ૨૧/૧૧/૧૯૬૦, ગોંડલ. અક્ષરદેરીમાં સવારે ૬:૦૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૧૬ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “સત્-અસત્‌નો વિવેક ત્રણ પ્રકારનો છે: (૧) પોતાના અવગુણ જ જોવા ને બીજાના ગુણ જોવા. (૨) સંતના વચનને પરમ સત્ય કરીને માને. અને (૩) અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે. કોઈનો અભાવ લેવાય એ જ અવળો વિચાર.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૩૩]

November 21, 1960. Aksharderi, Gondal. At 6 am, Yogiji Maharaj explained Gadhada I-16, “Discretion of sat and asat are of three types: (1) Perceives one’s faults and others’ virtues. (2) Accepts the words of the Sant as the highest truth. And (3) imbibes positive thoughts and avoids negative thoughts. Perceiving others’ faults is itself a negative thought.”

[Brahmaswarup Yogiji Maharaj: 3/133]

નિરૂપણ

ડિસેમ્બર ૧૯૬૩. ગ. પ્ર. ૧૬મા વચનામૃતમાં વાત આવી કે: “સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય...” એ શબ્દો આવ્યા. એટલે સ્વામીશ્રી બોલ્યા, “કાંઈક અવગુણ લખ્યું છે... પછી ઝાઝો લેવો કે? કાંઈક એટલે જેવો-તેવો. સૂવાનો, ઝોકાં ખાવાનો, ખાવા-પીવાનો અવગુણ હોય તે ન લેવો, તો વધારે લેવાય જ કેમ?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૨]

December, 1963. The following words from Vachanāmrut Gadhadā I-16 were read: “...any apparent flaws he perceives in the Sant or a satsangi...” Yogiji Mahārāj said, “What is written is ‘any apparent flaw’ (i.e. some minor flaw)... So does that mean we should perceive major flaws? ‘Any apparent’ means minor: of sleeping, dozing off, eating and drinking - those flaws should not be perceived; so then how can one perceive greater flaws?”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/562]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase